PM મોદી -રાહુલના મામલે ચૂંટણીપંચની કાર્યવાહી: કોંગ્રેસ-બીજેપીને આપી નોટીસ
- 25 Apr, 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીની વિરુદ્ધ આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનના મામલામાં ચૂંટણી આયોગે કાર્યવાહી કરી છે. ચૂંટણી આયોગે પીએમ મોદી અને રાહુલ ગાંધીના ભાષણને લઈને ભાજપ અને કોંગ્રેસને નોટીસ ફટકારી છે. ચૂંટણી આયોગે 29 એપ્રિલ સુધી ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પાસે જવાબ માંગ્યો છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી આયોગને કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફરીયાદ કરી હતી અને બીજેપીએ રાહુલ ગાંધીની ફરિયાદ કરી હતી.
ચૂંટણી આયોગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે-સાથે કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખરગે અને રાહુલ ગાંધી દ્વારા આદર્શ આચાર સંહિતાનું કથિત ઉલ્લંઘન કરવા અંગેની નોંધ લીધી છે. રાજસ્થાનના બંસવાડામાં વડાપ્રધાન મોદી દ્વારા આપવામાં આવેલા ભાષણને લઈને કોંગ્રેસ અને અન્ય વિપક્ષોની ફરિયાદ પર ચૂંટણી આયોગે ભાજપ પાસે જવાબ માંગ્યો છે. ચૂંટણી આયોગે વડાપ્રધાન મોદી, રાહુલ ગાંધીની વિરુદ્ધ આચાર સંહિતાના ઉલ્લંઘનના આરોપોને ભાજપ, કોંગ્રેસ પ્રમુખોની સાથે શેર કર્યા અને તેની પર 29 એપ્રિલ સુધીમાં જવાબ માંગ્યો છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ